Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ફાયર સેફ્ટીની સુવિધાને અભાવે ચાર કોમ્પ્લેક્ષ સીલ કરાયા

Share

વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા આજે નિઝામપુરા અને છાણી વિસ્તારમાં આવેલા પાંચ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીની સુવિધા નહીં રાખવા અંગે તાત્કાલિક અસરથી સીલ મારી દેવામાં આવ્યું હતું અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ફાયર સેફટીની સુવિધા અંગે હાઇકોર્ટના હુકમ આધારે વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે દવાખાના, ટ્યુશન ક્લાસીસ, રહેણાક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ, દુકાનો વિગેરેને નોટિસ આપી ફાયર સેફ્ટીના સાધનો લગાવવા સૂચના આપી હતી તેમ છતાં કેટલાક કોમ્પ્લેક્સના સંચાલકો દ્વારા ફાયર સેફટીના સાધનો લગાવવામાં વિલંબ કરતા ફાયર બ્રિગેડનું તંત્ર એક્શનમાં આવ્યું હતું.

Advertisement

ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સુચના પ્રમાણે અલગ અલગ ટીમોએ નિઝામપુરા અને છાણી વિસ્તારમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં લગાડનાર કોમ્પ્લેક્સમાં સીલ મારવા અને વીજ કનેક્શન કાપી નાંખવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં વડોદરા શહેરના ચાર કોમ્પ્લેક્સમાં રહેનારા અને વ્યાપાર કરનારા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ રાષ્ટ્રીય સેવક સંઘ(RRS)100વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષની સાથે વિજ્યા દશ્મીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ વિસ્તારના ગણેશ પંદાલમાં કામ કરી રહેલ બે કામદારોને વીજ કરંટ લાગતા ઘાયલ…

ProudOfGujarat

ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!