Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં વલણ 3 સ્માર્ટ આંગણવાડીમાં નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ 3 સ્માર્ટ આંગણવાડીમાં નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગનાં દર્દીઓએ લાભ લીધો હતો. રતીલાલ રબારી દ્વારા નેત્રરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુમેરુ હોસ્પિટલના તબીબ ડૉ. અરપીટ શાહ અને તેમની ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી. ૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય એવાં દર્દીઓને સુમેરુ હોસ્પિટલમાં આધુનીક પ્રધ્ધતિ દ્વારા શસ્ત્રક્રિયા કરી આપવામાં આવશે એમ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. સેવાભાવી રતીલાલ ભાઈ રબારી ઉમ્મીદ સેરેબલ પાલસી સેન્ટર પણ ચલાવે છે. જે ડૉ. હેમાબેન પરીખના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. જે બાળકો બોલીના શકતા હોય કે કોઈ કાર્ય ન કરી શકતા હોય એવાં બાળકોને સ્પિચ થેરેપી ફીજીયો થેરેપી દરેક જાતની અલગ અલગ થેરેપી દ્વારા નિદાન કરવામાં આવે છે. જેમાં દર મહીને ગાડી આવી બાળકોને લઈ જઈ સેવા પ્રદાન કરે છે. જેમાં ૫૦ જેટલાં બાળકો વલણ ગામનાં લાભ લઈ રહ્યા છે અને કરજણ તાલુકાનાં ૩૦૦ બાળકો જેટલાં લાભ લઈ રહ્યા છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપારડીમાં શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાનું આગમન હઝરતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા બાબતે આમુ સંગઠને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી(ર.અ.)ના 437 માં સંદલ અને ઉર્ષની સાદગીભરી રીતે ઉજવણી કરાયી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!