Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો પરેશાન બન્યા છે. મીડિયા ટીમ દ્વારા નહેરની મુલાકાત લેતા નહેરમાં ઝાડી ઝાંખરા ઉગેલા નજરે પડયા હતા તેમજ એક જગ્યાએ નહેરમાં ગાબડું પડ્યુ હોવાનું પણ નજરે પડ્યું હતું. નહેરમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતો દ્વારા ભિતી સેવાઈ રહી છે.

મીડિયા સમક્ષ નિવેદનમાં રફીક ભાઈ સગીરે જણાવ્યું હતુ કે ચાલુ સીઝનમાં હજુ સુધી નહેરમાં પાણી આવ્યું જ નથી જેના કારણે અમારો પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે. નહેરમાં પાણી છોડવા બાબતે અમે સંબંધિત અધિકારીઓને રજુઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન ન અપાતું હોવાના પણ તેઓએ આક્ષેપો કર્યા હતા. પાણીના અભાવે કપાસ, શેરડી અને તુવરનો પાક નિષ્ફળ જવાની પણ તેઓએ ભીતિ દર્શાવી છે. તો નહેર ખાતા દ્વારા નહેરનું સમારકામ હાથ ધરી નહેરમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

એકતાનગર ખાતે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી, સચિવ સહિત સનદી અધિકારીઓએ નજરાણા સમાન જંગલ સફારી સહિત વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો

ProudOfGujarat

ભેંસ ભાગોળેને છાસ છાગોડે – ને ઘરમાં ધબા-ધબી-વિધાનસભા ચૂંટણી લડવા પાંચ પર પચ્ચીસની તૈયારી..? સપ્ટેમ્બરના અંત સુધીમાં કાગળ પક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા મુરતિયાઓ..!!

ProudOfGujarat

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!