Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સોખડા હરિધામમાં યુવકને માર મારવાના પ્રકરણમાં આવ્યો વળાંક.

Share

સોખડા હરિધામમાં યુવકને સંતો દ્વારા માર મારવાની ઘટના અંગે સમગ્ર વિશ્વમાં ખૂબ ચર્ચાઓ ઉભી થઈ હતી જાતજાતની વાતો વહેતી થઈ હતી. શુ થયું હશે તે અંગે કુતુંહલ પણ ઉભા થયા હતાં પરંતુ અનુજ ચૌહાણ અને તેના પિતાનો વિડીયો સામે આવ્યા બાદ ત્યાગ વલ્લબ સ્વામી સામે આવ્યા હતાં અને સ્વામીજીએ જણાવ્યું હતું કે તે પરિવાર વર્ષોથી મંદિર પરિસર સાથે સંકળાયેલ છે જે કઈ થયું તે માત્ર અને માત્ર ગેરસમજના કારણે થયું હતું એમ પણ સ્વામીજીએ જણાવ્યું હતું. વધુમાં સ્વામીજીએ જણાવ્યુ કે પરિવાર ભયભીત ન રહે,પરિવાર નિશ્ચિત બની સામે આવે અને ચર્ચા કરી આખી ગેરસમજ દૂર કરે. તેમણે જલેબી અને પેંડા વહેંચવાની વાતને સ્વામીએ ફગાવી હતી અને ચર્ચા અંગે નિમંત્રણ આપ્યું હતું. ચર્ચા દ્વારા જ નિરાકરણ આવશે એમ પણ સ્વામીજીએ જણાવ્યું હતું. સાથે જ જે કઈ બન્યું તે યોગ્ય ન હતું એમ જણાવી સ્વામીજીએ દિલગીરી પણ વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

મહુધા પો.સ્ટે. વિસ્તારમાં દુધના ટેન્કરોમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર : ઇદે મિલાદના તહેવાર નિમિતે ગોયાબજાર ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!