Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : આમોદરના સરકારી આયુર્વેદિક દવાખાનામાં દર્દીઓનાં પગના થાપાના શીરના ઘસારા/ સુકારાની થઈ રહી છે સારવાર…

Share

એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ એ રોગને એવાસ્કુલર નેક્રોસિસ તરીકે ઓળખે છે.તેમાં પગના થાપાના ટોચના ભાગ એટલે કે શિરના ભાગમાં ઘસારા/ સુકારાના લીધે ખૂબ વેદના અને શારીરિક તકલીફો સહન કરવી પડે છે. તેનો ઉપાય મોટેભાગે જોઇન્ટ રિપ્લેસમેન્ટ પ્રકારની ખર્ચાળ શસ્ત્રક્રિયા છે.

વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત આમોદરના સરકારી આયુર્વેદ દવાખાનામાં ડો.હિરેન ઠક્કર દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી તેના ઉપચારની પહેલ કરવામાં આવી છે અને સારા પરિણામો મળી રહ્યાં છે એ આનંદની વાત ગણાય. હાલમાં ૨૦ જેટલા દર્દીઓ આ અસ્થી વિષયક વ્યાધિનો ઉપચાર કરાવી રહ્યાં છે તેવી જાણકારી આપતાં ડો.હિરેન ઠક્કરે કહ્યું કે ગુજરાતમાં કદાચ એકમાત્ર અમારાં દવાખાનામાં આ રોગના આયુર્વેદિક ઈલાજની પહેલ કરવામાં આવી છે.

Advertisement

તેમણે જણાવ્યું કે સારવાર હેઠળના બે થી ત્રણ દર્દીઓ તો હવે પલાંઠીવાળીને બેસી શકાય એટલા સાજા થઈ ગયા છે. તેમના રેડિયોલોજીકલ રિપોર્ટમાં પણ સકારાત્મક પરિણામો જોઈ શકાય છે. જે દર્દીઓને ઉપચારમાં લાબા સમય સુધી જીવન રક્ષણ માટે સ્ટીરોઇડયુક્ત દવાઓ આપવી જરૂરી બને છે, ઘણા સમયથી આમવાત – આર્થરાઈટિસની અસર સહિત ઘણાં પરિબળો આ ઘસારા કે સૂકારા માટે જવાબદાર હોઈ શકે છે. અમે તેની આયુર્વેદિક સારવાર શરૂ કરી અને સારા પરિણામો મળી રહ્યાં છે.

આયુર્વેદમાં આ પ્રકારની વ્યાધિઓના ઉપચારો સૂચવવામાં આવ્યા જ છે. તેને અટકાવવા માટે આહાર વિહારની તકેદારીઓ જણાવવામાં આવી છે.તેનો અમલ કરવાની જરૂર છે.ડો.ઠક્કર અને તેમના સાથીદારોએ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી સાથે પરામર્શ અને માર્ગદર્શન હેઠળ તેના અમલની પ્રેરક પહેલ કરી છે.


Share

Related posts

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ 47 પ્રશ્નો રજૂ થયા જેમાંથી 42 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો

ProudOfGujarat

ઝઘડિયાની ગ્રામ પંચાયતોના વીસીઈ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મુલદ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફટે દીપડાનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!