Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આપના ધારાસભ્ય ચૈતર વસાવા એ તેઓને ભાજપ માં લઈ જવા તમામ પ્રયાસ કરાયાનો આક્ષેપ….

Share

મારા માં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત નથી કરવાનો…ચૈતર વસાવા… *

વડાપ્રધાનની મુલાકાત બાદ પણ અમારા લોકોમાં મારા પ્રત્યે કોઈ ફરક નહી પડે.,ભીલ પ્રદેશની માંગ ચાલુ જ રહેશે..

Advertisement

ભરુચ ખાતે કાર્યકર્તા મુલાકાત બાદ આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન મોદીના દેડિયાપાડા ખાતે ના કાર્યક્રમ સહિત તેઓ પર ભાજપ માં સામેલ થવા તમામ પ્રયાસો કરાયા હોવાનો આક્ષેપ કરવા સાથે તેમના માં વિશ્વાસ મૂકનાર લોકોનો વિશ્વાસઘાત કરવાનો નથી તેવું ભાર પૂર્વક કહ્યું હતું.

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથે ની વાતચીત માં તેઓના ભાજપ માં સામેલ થવા અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.તેઓએ વડાપ્રધાન ના દેડિયાપાડા ના કાર્યક્રમ બાદ પણ તેમના પર વિશ્વાસ મૂકનાર લોકો માં કોઈજ ફરક નહી પડે તેમ કહી પાછલી ચૂંટણીઓ માં મળેલ મત ના આંકડાઓ પણ રજૂ કર્યા હતા. બિરસા મુંડા ની વિચાર સરણી ને અનુસરી તેઓ આગળ વધી રહ્યા છે.તો ભીલપ્રદેશ અંગેની તેઓની માંગ પણ ચાલુ જ હોવાનું કહી તેનાથી વહીવટી સુગમતા સર્જાતી હોવાનું કહ્યું હતું. વડા પ્રધાન ના કાર્યક્રમ ને આવકારી તેનાથી અમારા વિસ્તાર ના અટકેલા કાર્યો થઈ રહ્યા છે ત્યારે તેઓ દર વર્ષે આવે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.ચૈતર વસાવા સાથે ભરુચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, સહિત શહેર અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

ભરૂચ : નેત્રંગમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની હત્યા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં ધનવંતરી રથ દ્વારા શિક્ષકોનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!