Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

Share

 
ઉત્તર પૂર્વ દિલ્હીના કરાવલ નગર સ્થિત શ્રીરામ કોલોનીમાં રહેતા તકી શકીલ મંસૂરી ગુરૂવારે અગસ્ત ક્રાન્તિ રાજધાની ટ્રેનમાં દિલ્હીથી વાપી સુધી મુસાફરી કરી રહ્યા હતા. સવારે 8.10 કલાકે જ્યારે ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચતા તકી મંસૂર ચા પીવા માટે નીચે ઉતરી ગયા હતા. જોકે, ટ્રેન રવાના થઇ જતા તેઅો તેમના રીઝર્વેશન કોચમાં બેગ ભુલી ગયા હતા. આ અંગે તાત્કાલિક તેમણે આરપીઅેફના હેલ્પ લાઇન નંબર 182 ઉપર કોલ કરીને જાણ કરી હતી. વાપી સ્ટેશને ટ્રેન પહોંચતા જ આરપીએફના એએસઆઇ સુનિલ સિંહે ટ્રેન અને કોચ નંબર એટેન્ડ કરીને યાત્રીની ભુલી ગયેલી બેગ કબજે લીધી હતી. જોકે, ત્યારબાદ યાત્રીને બેગ પરત કરી હતી. યાત્રીના જણાવ્યા મુજબ બેગમાં જરૂરી દસ્તાવેજ તથા સામાન મળીને કુલ 12 હજારની મત્તા હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

ટ્રકની ટકરે બાઈક સવાર પૂર્વ સરપંચની મોતની ઘટના માં ચોંકાવનારો ઘટસ્ફોટ: રાજકીય અદાવતમાં હત્યા કરી

ProudOfGujarat

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ૪૦૦ થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

વલસાડ-વાંકલની હેતલે 600 કિમીની સાયકલિંગ સ્પર્ધા માત્ર 38 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરી, મેડલ જીત્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!