Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટીદાર સમાજનાં જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિખલીમાં ઓક્સિજનની સહાય…

Share

પાટીદાર સમાજના જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરાના કપરા કાળમાં દક્ષિણ ગુજરાતમાં વધુ એક મોટી મદદ કરાઇ છે. વલસાડમાં સ્પેશ્યલ એમ્બ્યુલન્સ બાદ હવે તેમના દ્વારા ચિખલીની હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા માટે રૂ. બે લાખની સહાય કરી છે.

પાટીદાર સમાજના જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અમેરિકા સ્થિત રમેશભાઇ વસનજી પટેલ કોરોનાની મહામારીમાં પોતાના વતનના લોકોની મદદ માટે સતત કાર્યરત બન્યા છે. તેઓ પોતાના સમાજ પુરતું જ નહી, પરંતુ વતનના તમામ લોકો માટે સહાયરૂપ બની રહ્યા છે. તેમણે તમામ લોકોની સેવા માટે વલસાડમાં એમ્બ્યુલન્સનું દાન કર્યા બાદ તેમણે ચિખલીની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા માટે રૂ. 2 લાખનું દાન કર્યું છે. સરકારી હોસ્પિટલમાં દાન આપી તેમણે ગરીબો માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. દક્ષિણ ગુજરાતના લોકો માટે જેમસન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઇ પટેલ ભામાશાની ભૂમિકામાં આવી ગયા છે. આ ભગીરથ કાર્યમમાં પાટીદાર સમાજ વલસાડના અગ્રણી એવાએડવોકેટ ચેતન પટેલ (રાબડા) ઉદ્દિપક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઇનર વ્હીલ કલબનાં હોદ્દેદારોએ ઘરડા ઘર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી…

ProudOfGujarat

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એક જ પરિવરનાં ૩ સભ્યોએ કોરોનાને આપી માત જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસનાં ૧ દર્દી સારવાર હેઠળ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!