Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ આજરોજ રવીવારે સામે આવી વઘુ એક બેદરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ રહ્યા ગેરહાજર. ઈન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર ની ગેરહાજરી થી દર્દી ઓને પડી મૂશ્કેલી ના છુટકે ખાનગી હોસ્પિટલના સહારે.

Share

વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલની કથળતી સેવાના કારણે અનેક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ફરજ પરના મોટા ભાગના કર્મચારીઓની બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

 

Advertisement

ગાંધી હોસ્પિટલમાં સારવારઅર્થે આવેલા દર્દીઓને ફરજ પરના અધિકારીઓ કડવો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ રવીવારે ના દિવસે હોસ્પિટલમાં એક ડોક્ટર અને બે નર્સ હાજર વઘુ તપાસ કરતા ઇન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર રજા ના દિવસે હાજર ન હતા ઉલ્લેખનીય સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં ઘોર બેદરકારી બાબતે છેલ્લાઘણા સમયથી વિરમગામ સામાજીક કાર્યકર બળંવત ઠાકોર અને વિરમગામ યુવા શક્તિ ગૃપ અનેક વાર ઉચ્ચ આરોગ્ય અઘિકાર લેખિત મૌખિક રજુઆત કરવા છતાં અવાર નવાર વિરમગામ ગાંઘી હોસ્પિટલમા ઘોર બેદરકારી સામે આવી રહી છે.

 

આજરોજ વિરમગામ ગાંઘી હોસ્પિટલ મા રવીવારે જે ઇન્ચાર્જ અઘિકારી હાજર ન રહેવા બાબતે યુવા શક્તિ ગૃપ ના આશીષ ગુપ્તા એ જણાવ્યું હતું કે આજરોજ વિરમગામ ગાંઘી હોસ્પિટલમાં ઓચિંતા અનેક દર્દીઓ આવેલા પરંતું અહી અહીં સ્ટાફ ની અંદર બે જ નર્સ હોવાથી તેવોને સારવાર મેળવામા માટે ઘણી રાહ જોવી મળી હતી.

 

આ બાબતે સામાજીક કાર્યકર બળંવત ઠાકોર ને પૂછતા તેમને જણાવ્યું હતું કે અમે આરડીડી ને પૂછતા જણાવ્યુ કે જાહેર રજાઓના દિવસે અને રવિવારના દિવસે તેમણે નોકરી પર રહેવાનું હોય છે તેમ છતા આજરોજ અમે રૂબરૂ મુલાકાત લેતા ઇન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર નોકરી પર મળી આવેલ નથી ત્યાર બાદ અમોએ નાયબ વહીવટી અધિકારી ને ફોન કરી પૂછતાં તેઓએ કહેતા વહીવટી અધિકારી ને પુછો વહીવટી અઘિકારીને પૂછતાં તેમણે અમોને કહેલ કે મારા ભાઇ બીમાર હોય હોસ્પિટલમાં દાખલ કરેલ હોય પછી તમણે જવાબ આપું તો અમારી માંગણી છેકે આરડીડી નુ સૂચનાનું હાલમા કોઇ પાલન થતુ નથી ઇન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર ને મનમા કોઇ રાજકીય પીઠબળ હોવાથી આ લોકો મનસ્વી વર્તન કરે છે અને તેમણે ફોન કરેલ પરંતું ફોન રિસિવ કરેલ ન હતો જેથી અમૂક દર્દીઓ ને પૂરતી સારવાર ન મળવાના કારણે અમારે ખાનગી હોસ્પિટલમા સારવાર જવાની જરરૂ પડી રહી છે.

:-પીયૂષ ગજ્જર


Share

Related posts

ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઉમલ્લા ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા રોંગસાઇડે જતા વાહનો અકસ્માતો સર્જતા હોવ‍ાની ચર્ચા.

ProudOfGujarat

ઉમરપાડાના રાણીકુંડ ગામ પાસે જોખમી ટર્નિંગમા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી જતાં બે નાં મોત.

ProudOfGujarat
error: Content is protected !!