Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભીડ જામી.

Share

આવતીકાલે અમાસ હોઇ, દશામાનું વ્રત શરૂ થઇ રહ્યુ છે તેને લઇને આજે ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દશામાની પ્રતિમા ખરીદવા ભારે ભીડ જામી હતી. સવારથી જ ગામડેથી આવેલા શ્રધ્ધાળુઓ પોતાના વાહનો જેવા કે ટેમ્પો, રીક્ષા, મોટરસાયકલ પર દશામાની મૂર્તિઓ લઈ જતા નજરે પડતા હતા. આજે મૂર્તિઓ ખરીદી ઘરે લઈ ગયા પછી ગુરૂવાર અમાસે દશામાંની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવશે અને દશ દિવસ સુધી દશામાના વ્રતની ઉજવણી કરાશે. ઝઘડિયાના મુખ્ય બજાર ખાતે આજે મોટી સંખ્યામાં મૂર્તિઓની ખરીદી થતી નજરે પડી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે ધોળા દિવસે લાખ્ખોની ચોરી ૨૪ કલાક બાદ નોંધાણી એફ. આઇ. આર

ProudOfGujarat

એસટી બસના કર્મચારીએ ખોવાયેલ વસ્તુ મુળમાલિકને પરત કરી

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!