Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગની ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા માર્ગ બિસ્મારતાની હદ વટાવી રહ્યો છે. હાલ ચોમાસા દરમિયાન થયેલ વ્યાપક મેઘવર્ષાથી ઠેરઠેર માર્ગોનું ધોવાણ થયુ છે, તેમાં આ ધોરીમાર્ગ પણ ધોવાયો છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં આ ધોરીમાર્ગ પર દોડતા વાહનોને કારણે ધુળના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. આને લઇને પાછળ આવતા વાહનચાલકોના શ્વાસમાં ધુળ જતા તેની અસર રાહદારીઓના સ્વાસ્થ્ય પર પડવાની પણ સંભાવના છે. ધુળના કારણે પાછળ આવતા રાહદારીઓને પડતી અડચણ દુર થાય તેવું રાહદારીઓ ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

સડક સુરક્ષા- જીવન રક્ષાનાં સૂત્ર સાથે નર્મદા પોલીસ દ્વારા 29મું માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામા આવી

ProudOfGujarat

વડોદરા : સયાજી હોસ્પિટલની લેબમાં 11,738 આરટીપીસીઆર ટેસ્ટ કરતાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ.

ProudOfGujarat

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!