Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગની ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા માર્ગ બિસ્મારતાની હદ વટાવી રહ્યો છે. હાલ ચોમાસા દરમિયાન થયેલ વ્યાપક મેઘવર્ષાથી ઠેરઠેર માર્ગોનું ધોવાણ થયુ છે, તેમાં આ ધોરીમાર્ગ પણ ધોવાયો છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં આ ધોરીમાર્ગ પર દોડતા વાહનોને કારણે ધુળના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. આને લઇને પાછળ આવતા વાહનચાલકોના શ્વાસમાં ધુળ જતા તેની અસર રાહદારીઓના સ્વાસ્થ્ય પર પડવાની પણ સંભાવના છે. ધુળના કારણે પાછળ આવતા રાહદારીઓને પડતી અડચણ દુર થાય તેવું રાહદારીઓ ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ મોરવા હડફના ગ્રામ્યવિસ્તારોમાં હવે કોરાના વાયરસના પગલે બહારગામના વ્યક્તિને NO ENTRY પ્રવેશરોડ પર ઝાડી ઝાખરાની આડાશ મૂકાઇ

ProudOfGujarat

અમદાવાદ શહેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ક્વોરી ખાણમાં પડતા અજાણ્યા પુરુષનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!