Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામના યોગેશભાઇ વસાવા નામના એક યુવકનું અગાઉ નર્મદા નદીમાં મગરના હુમલાથી મોત નીપજ્યું હતું. સરકાર તરફથી નિયમ મુજબ યુવકના પરિવારને સહાય આપવામાં આવી હતી. આજરોજ જૂનાપોરા ગામ ખાતે મરણ પામેલ યુવકના પરીવારને સરકાર તરફથી મળેલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે વન અધિકારીઓ આર.ડી.જાડેજા તેમજ મીનાબેન પરમારની હાજરીમાં આ ચેક આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા, અગ્રણી નરેન્દ્રસિંહ રાજ, ફોરેસ્ટર મહેશભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કિયા ગામના પાટિયા નજીક કારે મોટર બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર દંપતીના કરૂણ મોત…

ProudOfGujarat

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

ભરૂચ : મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સો સાથે મોટરસાયકલ ઝડપી પાડતી રાજપારડી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!