Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતનું પૂજન કર્યું

Share

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે વટ સાવિત્રિ વ્રત પૂજન પરંપરાગત શાસ્ત્રોકત વિધિ વિધાનથી ઉજવવામાં આવ્યું હતું.

વટ સાવિત્રીનું વ્રત જેઠ સુદ તેરસના શરૂ કરવામાં આવે છે અને પૂનમ સૂધી કરવામાં આવે છે તે દિવસે પરણિત સ્ત્રીઓ સ્નાન ઇત્યિદિન પતાવીને વડનું પૂજન કરવા જાય છે. વડનું ષોડશોપચોર કરવામાં આવે છે અને વડને સૂતર વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્રણ દિવસ ઉપવાસ કરવામાં આવે છે. સાંજે પૂનમને દિવસે ચંદ્ર દર્શન કરીને પારણા કરવામાં આવે છે. ત્રણ દિવસ ફળાહારમાં દૂધ અને ફળો લઇ શકાય છે. આ રીતે પરિણીત સ્ત્રી પતિના સ્વસ્થા અને લાંબા જીવન માટે વટ સાવિત્રીનુ વ્રત ભક્તિ ભાવ સાથે કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા વિશેષ ઝુંબેશ : ‘મિશન બેક ટુ સ્કૂલ’ અંતર્ગત હજારો બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ

ProudOfGujarat

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી સફાઈ કામગીરીનો તાગ મેળવી નિરિક્ષણ કર્યું

ProudOfGujarat

ઓલપાડનાં ગોથાણ ગામેથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરો વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!