Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાની લેનસેક્ષ કંપનીમાં થયેલી ચોરીનાં આરોપી ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા ખાતેની લેનસેક્ષ કંપનીમાંથી ગત માસે ૨૫-૨૫ કિલોના પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરનાં બે ડ્રમની ચોરી થવા પામી હતી. કંપનીની ફરિયાદ બાદ જીલ્લા એલસીબી પોલીસે ગતરોજ ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ચાલુ કંપનીઓમાંથી ચોરીની ઘટનાઓ ઘણીવાર બનતી રહે છે. ઉપરાંત બંધ પડેલ કંપનીઓમાં પણ મોટા પાયે ચોરીઓ થવા પામે છે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ કેટલાક સ્થાનીક ચોરો જ કેટલાક ભંગારીયાઓનાં મેળાપીપણામાં આવી ચોરીઓ કરતા હોય છે. અવારનવાર આવી ચોરીની ઘટનાઓ બનતી હોવાની વાતો પણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૮.૪.૨૦ ના રોજ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ લેનસેક્ષ કંપનીનાં સ્ટોર રૂમમાં રાખેલ પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના ૨૫-૨૫ કિલોગ્રામનાં બે ડ્રમની ચોરી થવા પામી હતી. ચોરાયેલ પાવડરની કિંમત ૨૨ લાખ રૂપિયા જેટલી મોટી રકમની હોવાથી આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે કંપની દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જીલ્લા એલસીબી પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી ગુનામાં સંડોવાયેલા ત્રણ શકમંદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબી દ્વારા ત્રણેય શકમંદોની ઉંડાણપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરીના મુદ્દામાલ પ્લેટિનમ કેટલીસ્ટ સંતાડેલ જગ્યા તેઓએ પોલીસને બતાડતા ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે પ્લેટિનમ કેટલીસ્ટના ૨૫-૨૫ કિલોગ્રામનાં બે ડ્રમ જેની કિંમત રૂપિયા ૨૨ લાખ છે, તે મુદ્દામાલ કબ્જે લીધો હતો. જિલ્લા એલસીબી દ્વારા આ ગુનાનાં શકમંદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે મુજબ (૧) મિલન શશીકાંત વસાવા (૨) સતીશ હરેશ વસાવા (૩) સુનિલ રાજેન્દ્ર વસાવા ત્રણે રહેવાસી રાણીપુરા તા.ઝઘડિયા જિ.ભરૂચને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

સુરત જિલ્લામાં શિવસેના દ્વારા જિલ્લા કલેકટરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સુરત ખાતે ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં ધરપકડ કરી નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે વળતર મળે તને આવેદનપત્ર આપ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ પીડિતોને પરત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!