Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાની સાંઈકૃપા સોસાયટીમાં દિવાળીની રાત્રે જ તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં તથા રોકડ રૂપિયાનો હાથફેરો કર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે આવેલ સાઈ કૃપા સોસાયટીમાં રહેતા સુરેશભાઈ નરસિંહભાઈ પરમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દિવાળીની સાંજે તેઓ તેમના ઘરે તાળું મારીને તેમના ગામ વાસણા ખાતે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરનો દરવાજો તુટેલો જણાયો. ઘરના દરવાજાની ગ્રીલ કોઈ સાધન વડે વાળીને લાકડાના દરવાજાનું પાટિયું નીચેથી તોડી પડાયેલુ જણાયુ હતું. સુરેશભાઈએ ઘરમાં જઇને જોતા તિજોરીનો દરવાજો તુટેલો હતો. તપાસ કરતા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

મળતી માહિતી મુજબ તસ્કરો ત્રણ જોડ ચાંદીના સાંકળા, ૧ નંગ ચાંદીની લકી, ચાંદીના બે નંગ સિક્કા, ચાંદીનું ૧ મંગળસૂત્ર, ચાંદીનો ઝૂડો, ચાંદીની વીંટી, સોનાની વીંટી નંગ પાંચ, સોનાની જુમર એક જોડ, સોનાની જડ નંગ-૪ તથા રોકડા રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂ. ૧,૦૧,૩૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની જાણ થઇ હતી. બાદમાં સુરેશભાઈએ ચોરીની ઘટના બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોતાની દિવાળી સુધારવા નીકળેલા તસ્કરોએ આ પરિવારની દિવાળી બગાડતા પરિવાર શોકમગ્ન બની ગયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

હિંમતનગર અને રાજપારડી ખાતે રહેતા મુસ્લિમ અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુએ ગરીબ લોકો માટે ૧૫૦૦ જેટલી અનાજ અને બીજી જીવન જરૂરિયાતની કીટ વહેંચી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન-૪ નાં નિયમો અંગે જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા વિસ્‍તૃત જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ProudOfGujarat

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!