Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડિયામાં આવેલી આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ફરી એક વખત આરતી કંપની ચર્ચાનાં એરણે ચડી છે. ઝધડિયાની આરતી કંપની આ અગાઉ પણ વાયુ પ્રદૂષણ અને કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઇન બાબતે પ્રકાશમાં આવી હતી અને ગઇકાલે રાત્રે ફરી એક વખત આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીનાં ત્રણ વર્કરોને ઇજાઓ પહોંચ્યાની વાત બહાર આવી છે.

આ બનાવની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચ્યાનું જાણવા મળ્યું છે. આરતી કંપનીનાં નાઇટ્રેક એસિડ પ્લાન્ટમાં આવેલી મોટરમાં અચાનક ધડાકો થતા ત્રણ વ્યક્તિ ઉપર એસિડનાં છાંટા ઉડતાં આરતી કંપનીનાં શ્રમિકોને ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે. એસિડનાં છાંટા ઉડતા ઘાયલ થયેલા ત્રણ શ્રમિકોને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કંપનીમાં ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને બોલ્ટ રૂ. 5,02,050/- સાથે બે ઈસમને ઝડપી પાડયાં.

ProudOfGujarat

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!