Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

Share

ભરૂચ જીલ્લાનાં ઝધડિયામાં આવેલી આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ફરી એક વખત આરતી કંપની ચર્ચાનાં એરણે ચડી છે. ઝધડિયાની આરતી કંપની આ અગાઉ પણ વાયુ પ્રદૂષણ અને કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઇન બાબતે પ્રકાશમાં આવી હતી અને ગઇકાલે રાત્રે ફરી એક વખત આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીનાં ત્રણ વર્કરોને ઇજાઓ પહોંચ્યાની વાત બહાર આવી છે.

આ બનાવની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચ્યાનું જાણવા મળ્યું છે. આરતી કંપનીનાં નાઇટ્રેક એસિડ પ્લાન્ટમાં આવેલી મોટરમાં અચાનક ધડાકો થતા ત્રણ વ્યક્તિ ઉપર એસિડનાં છાંટા ઉડતાં આરતી કંપનીનાં શ્રમિકોને ઇજા પહોંચ્યાનું સામે આવ્યું છે. એસિડનાં છાંટા ઉડતા ઘાયલ થયેલા ત્રણ શ્રમિકોને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં બે સગી બહેન લવ જેહાદનો શિકાર બની, યુવતીએ વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

सुपरस्टार सलमान खान, अजय देवगन, अर्जुन कपूर और कई अन्य कलाकार भारत को नंबर एक बनाने के समर्थन में आये आगे!

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સાયખા સાઈટની જમીન સરેન્ડર કરવાનો મુદ્દો ગરમાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!