Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માં પાણી ની સપાટી માં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાથી ડેમ માંથી નર્મદા માં પાણી છોડાતા નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં પુરના પાણી પ્રવેશી જતા ઝઘડીયા મામલતદાર રાજવંશી અને રાજપારડી પીએસઆઇ જાદવે સ્ટાફ સાથે આ પુર ગ્રસ્ત ૫ ગામોના ૬૧ જેટલા અસરગ્રસ્ત પરિવારોને અવિધા અને ભાલોદ ખાતે ઉભા કરાયેલા રાહત કેમ્પો માં ખસેડ્યા હતા.જે પૈકી પોરા ગામના ૨૨ પરિવાર ઓરપટાર ના ૧૦ જુનીતરસાલી ના ૧૧ જુનાટોઠિદરા ના ૫ અને જરસાડ ના ૧૩ પુર અસરગ્રસ્ત પરિવારોનું સલામત રીતે સ્થળાંતર કરાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

રાજકોટમાં ઘરની અંદર કેમિકલની બોટલ ફાટવાથી વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી કામગીરી શરૂં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!