Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા : ઉમલ્લા મુકામે ભાજપાની પ્રચાર સભાનું આયોજન કરાયું.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભરૂચ જિલ્લામાંં રાજકીય ક્ષેત્રે ચહલપહલ જણાય છે. ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના ઉમેદવારો માટે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું કે લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે, અને આ વખતે તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ પ્રસ્થાપિત થશે, એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર જીતના નિશ્ચય સાથે ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમલ્લા ખાતે દુ.વાઘપુરા જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પ્રચારસભાને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઝઘડિયા તાલુકાનાં વિકાસના મુદ્દાને લઇને પ્રચારમાં આગળ વધી રહી છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં નાના-મોટા વિકાસના જે પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે તે ઉકેલવા અમે સક્ષમ છીએ. ઉમલ્લા અને પાણેથાના રસ્તાનું કામ અટવાયું છે તે પણ આ ચૂંટણી બાદ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

અત્રે યોજાયેલ આ પ્રચાર સભામાં સાંસદ મનસુખભાઇ વસાવા, મારૂતિસિંહ અટોદરીયા, માજી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, અતુલભાઈ પટેલ, નરેન્દ્ર વસાવા, પ્રકાશભાઈ દેસાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, દિનેશ વસાવા, મહેંદ્રસિંહ વાંસદીયા, રશ્મિભાઈ પંડયા, પરિમલભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, રીતેશ વસાવા, ભાવનાબેન પંચાલ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વચગાળાના જામીન પર ફરાર થયેલ હિસ્ટ્રીશીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારીને નવસારી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!