ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકા મથક હોવાથી લોકોની આવન-જાવન રહે છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે. એક તરફ જિલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણમાં વ્યસ્ત છે ત્યારે કોરોનાના સંક્રમિત કેસોમાં પણ ઉછાળો આવ્યો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. આજરોજ ઝઘડિયા સ્ટેટ બેન્ક શાખામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સોમવાર અને મંગળવાર બે દિવસ શાખા બંધ રાખવામાં આવી છે. બુધવારથી શાખા રાબેતા મુજબ શરૂ થશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, તેમ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement
