Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનું બજાર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગા‌મે બજારો શનિવાર તેમજ રવિવારના દિવસોએ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજપારડીના ક‍ાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક નિવેદનમાં આ મુજબ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શનિવાર તેમજ રવિવારના રોજ રાજપારડીનું બજાર બંધ રહેશે એવી અફવાઓ ચર્ચામાં આવી હતી, ત્યારે પી.સી.પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી બજાર શનિ રવિના દિવસો દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર નાનામોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા તેમજ બજારમાં આવતા ગ્રાહકોએ કોવિડ ગાઇડ લાઇનને લગતા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડનીય ક‍ાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ધંધા બંધ રહેતા નાના ધંધાર્થીઓના રોજગાર પર અસર પડતી હોય છે. તેથી નાનામોટા વેપારીઓ સંક્રમણ ફેલાય નહિ તે મુજબ જરૂરી નિયમોનું પાલન કરીને પોતાના ધંધા ચાલુ રાખી શકશે, એમ ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જય જગદંબા સ્ટોર્સમાંથી સામાન ભરેલ થેલાની ચોરી કરી ત્રણ તસ્કરો ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારી બાદ પ્રથમ વર્ષનાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat

ભરૂચ : નવરાત્રી પર્વમાં વિધર્મીઓની પ્રવેશ બંધી અને ગરબા આયોજનમાં બહેનો પાસેથી ફી વસુલાતને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!