Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનું બજાર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગા‌મે બજારો શનિવાર તેમજ રવિવારના દિવસોએ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજપારડીના ક‍ાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક નિવેદનમાં આ મુજબ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શનિવાર તેમજ રવિવારના રોજ રાજપારડીનું બજાર બંધ રહેશે એવી અફવાઓ ચર્ચામાં આવી હતી, ત્યારે પી.સી.પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી બજાર શનિ રવિના દિવસો દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર નાનામોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા તેમજ બજારમાં આવતા ગ્રાહકોએ કોવિડ ગાઇડ લાઇનને લગતા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડનીય ક‍ાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ધંધા બંધ રહેતા નાના ધંધાર્થીઓના રોજગાર પર અસર પડતી હોય છે. તેથી નાનામોટા વેપારીઓ સંક્રમણ ફેલાય નહિ તે મુજબ જરૂરી નિયમોનું પાલન કરીને પોતાના ધંધા ચાલુ રાખી શકશે, એમ ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ભાલોદ ગામે ટ્રકની ટક્કરે વીજ પોલને નુકશાન થતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો.

ProudOfGujarat

ખરચી ગામે સાત જુગારીયા જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!