Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે કપીરાજનો આતંક : વૃધ્ધા પર હુમલો કર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે મોટી સંખ્યામાં વાનરો વસી રહ્યા છે. ઘણીવાર વાનરો દ્વારા માણસો પર હુમલા પણ કરવામાં આવતા હોય છે. આજે ગામના પટેલ ફળિયામાં રહેતા કાંતાબેન જયંતીભાઇ પટેલ નામના ૮૫ વર્ષીય વૃધ્ધા પર એક મોટા વાનરે હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા આ વૃધ્ધાને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ આ વૃધ્ધા તેના ઘરના પાછળના વાડામાં ઉભી હતી તે દરમિયાન ગામમાં રહેતા વાનરો પૈકી એક મોટો વાનર ત્યાં આવી ગયો હતો. વાનર ઘરમાં ન ઘુસી જાય તે માટે વૃધ્ધાએ તેને ભગાડવાની કોશિશ કરતા વાનરે ક‍ાંતાબેન પર હુમલો કરી દીધો હતો. વાનરે આ વૃધ્ધ મહિલાના હાથની આંગળી તોડી નાંખી હતી. ઉપરાંત પગનો ઉપરનો તેમજ નીચેનો પગની એડીનો ભાગ ફાડી નાંખ્યો હતો. ગંભીર રીતે ઝખ્મી થયેલ વૃધ્ધા ક‍ાંતાબેનને તાત્કાલિક અંકલેશ્વર સારવાર માટે લઇ જવાયા હતા. આ પહેલા પણ ગામમાં કેટલાક માણસો વાનરના હુમલાનો ભોગ બન્યા હતા. સારસા ગામે વાનર દ્વારા વૃધ્ધ મહિલા પર હુમલો કરાયો હોવાની ઘટના બાદ ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!