Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

Share

આજરોજ તારીખ ૧૭ સપ્ટેમ્બરના દિવસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ તથા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સચિન સુથાર દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જીઆઇડીસીમાં અનુપમ રસાયણ ફેક્ટરીમાં ત્યાંના કર્મચારીઓ તથા ઓફિસના સ્ટાફ સાથે વડાપ્રધાનના ૭૧ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ફેક્ટરીના કર્મચારીઓ અને આરોગ્ય સંજીવનીના સ્ટાફ દ્વારા કેક કાપીને વડાપ્રધાનનો જન્મદિન મનાવાયો. આ પ્રસંગે કંપનીના વર્કરોના સ્વાસ્થ્યનું ચેકઅપ કરીને યોગ્ય દવાઓ આપવામાં આવી. ઉપરાંત સ્વાસ્થ્ય સારુ કઈ રીતે રહે એ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ખેડા જિલ્લામાં વાવાઝોડામાં ૮ તાલુકાની ૧૭ જેટલી પ્રાથમિક શાળાઓની છતનાં નુકશાનનો સર્વે હાથ ધરાયું

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા વૃક્ષારોપણ

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં બનેલ સામુહીક દુષ્કર્મ વિથ મર્ડ૨નો ગુનો ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી છ નરાધમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!