Proud of Gujarat
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા વૃક્ષારોપણ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા તા.૧૩ સપ્ટેમ્બર ના રોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રસ્ટ ના કાર્યકરો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા.અત્રે ઉલ્લેખનીય છેકે આજે શહેરી વિસ્તારોમાં રહેણાંક વસાહતો બનાવવા તેમજ રસ્તાઓ પહોળા બનાવવાની કામગીરીમાં હજ્જારો વૃક્ષો નું નિકંદન નીકળી રહ્યું છે.ત્યારે આ વાત પર્યાવરણ માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે.જેટલા વૃક્ષો કપાય તેટલાજ નવા પણ રોપાય તો પર્યાવરણ ની ગરિમા જળવાઇ રહે.ત્યારે વૃક્ષારોપણ ના કાર્યક્રમો થી સમાજમાં વૃક્ષો રોપવાની પ્રેરણા ઉભી થાયછે.તેથી સમયાંતરે વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજાય તે આવકાર દાયક ગણાય.હઝરત શૈખુલ ઇસ્લામ સૈયદ મદનીમિયા ના નામ સાથે જોડાયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના ઉપક્રમે ઘણીવાર વૃક્ષારોપણ કરાતું હોયછે.

Advertisement

Share

Related posts

આફતનો પુર : કાંઠે પાણીએ સર્જી તારાજી, ભરૂચના નદી કાંઠે ખેતરો થયા જળબંબાકાર.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં ધનવંતરી રથ દ્વારા શિક્ષકોનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!