Proud of Gujarat
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા વૃક્ષારોપણ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ રાજપારડી શાખા દ્વારા તા.૧૩ સપ્ટેમ્બર ના રોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.નગરના વિવિધ વિસ્તારોમાં ટ્રસ્ટ ના કાર્યકરો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા.અત્રે ઉલ્લેખનીય છેકે આજે શહેરી વિસ્તારોમાં રહેણાંક વસાહતો બનાવવા તેમજ રસ્તાઓ પહોળા બનાવવાની કામગીરીમાં હજ્જારો વૃક્ષો નું નિકંદન નીકળી રહ્યું છે.ત્યારે આ વાત પર્યાવરણ માટે જોખમી સાબિત થઇ શકે તેમ છે.જેટલા વૃક્ષો કપાય તેટલાજ નવા પણ રોપાય તો પર્યાવરણ ની ગરિમા જળવાઇ રહે.ત્યારે વૃક્ષારોપણ ના કાર્યક્રમો થી સમાજમાં વૃક્ષો રોપવાની પ્રેરણા ઉભી થાયછે.તેથી સમયાંતરે વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજાય તે આવકાર દાયક ગણાય.હઝરત શૈખુલ ઇસ્લામ સૈયદ મદનીમિયા ના નામ સાથે જોડાયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના ઉપક્રમે ઘણીવાર વૃક્ષારોપણ કરાતું હોયછે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ProudOfGujarat

આખરે 20 દિવસના ઉકળાટ બાદ ભરૂચ-અંકલેશ્વર પંથકના વાલિયા- ઝઘડીયા વિસ્તારમાં વરસાદની ધીમીધારે એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!