Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના વણાકપોર પ્રાંકડ રોડ નજીક સુકાયેલ વૃક્ષ પડવાથી જાનહાનીની દહેશત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોરથી ભાલોદ જવાના મુખ્ય માર્ગ પર એક મોટુ વૃક્ષ સુકાઇ ગયેલ અવસ્થામાં લાંબા સમયથી ઉભેલુ જણાય છે. પ્રાંકડના અગ્રણી નરેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ આ સુકાયેલું મોટુ વૃક્ષ કોઇવાર પસાર થતા રાહદારી કે વાહન પર પડશે તો જાનહાની થવાની સંભાવના રહેલી છે. ત્યારે તંત્ર તાકીદે આ બાબતે ઘટતુ કરે તે જરુરી છે.

ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી સામે એક વૃક્ષ એક કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વૃક્ષ પડવાના કારણે નજીકથી પસાર થતી વીજલાઇન પરના તાર તુટતા નગરમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. સદભાગ્યે કોઇ જાનહાની નહિ થતા તંત્રએ રાહત અનુભવી હતી. ત્યારે વણાકપોરથી પ્રાંકડ વચ્ચેના માર્ગ પરનું આ સુકુ વૃક્ષ હટાવી લેવા તંત્ર યોગ્ય કરે તે જરુરી છે. ભાલોદ પંથકના વાહનોની અવરજવર માટે આ માર્ગ અતિ મહત્વનો છે. વાહનોની રફતારથી ધબકતા રહેતા આ માર્ગ પરનું સુકુ વૃક્ષ તાકીદે હટાવી લેવાય તે જરૂરી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા સૈનિક સંગઠનોની પડતર પાંચ માંગણીઓ સ્વીકારી.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટવીન્સ સીટી વચ્ચે આગમી તા. 22 થી સીટી બસ સેવાઓ થશે શરૂ.

ProudOfGujarat

સુરત શહેરમાં ફરીવાર આગ લાગવાની ધટના ધટી છે જેમાં શહેરના બેગમપુરા વિસ્તારમાં લાકડાંના બે માળના મકાનમાં આગ લાગી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!