Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના બાવાગોર દરગાહનો ઉર્સ કોરોના મહામારીને લીધે મોકૂફ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર ( ગોરીશા) ની દરગાહનો આગામી ઉર્સ કોરોના સંક્રમણને અનુલક્ષીને બંધ રાખવામાં આવ્યો છે.

દરગાહના ટ્રસ્ટીઓ જાનુમિયા સીદી અને ઝાકિરભાઇ મલેકના જણાવ્યા મુજબ હાલમાં તા.૧૨ અને ૧૩ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ (મેળો) કોવિડ ગાઇડલાઇન મુજબ કોરોના સંક્રમણને વધતું અટકાવવા બંધ રાખવામાં આવ્યો છે. દરગાહ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારી ઝઘડીયા, મામલતદાર ઝઘડીયા તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનને લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા જોગ બહાર પડાયેલ એક નિવેદનમાં જણાવાયું છે કે ઉર્સ ( મેળો) બંધ રાખવામાં આવેલ હોઇ કોઇપણ ધંધાવાળાએ પોતાની દુકાનો લઇને દરગાહ સંકુલમાં આવવું નહિ, તેમજ દરગાહના સ્થળે સંક્રમણ ફેલાય એવી કોઇ ભીડ કરવી નહિ. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ ઉર્સ મોકુફીના નિર્ણયને પુરો સહકાર આપવા તેમજ કોવિડ ગાઇડ લાઇન્સનું સંપૂર્ણ પાલન કરવા જાહેર જનતાને આ જાહેર નિવેદનથી અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે જનજીવન પર અસર

ProudOfGujarat

ભરૂચ : લીમડીચોકનાં સ્થાનિક રહીશોની પરવાનગી લીધા વિના મોબાઈલ ટાવર લગાવેલ હોવાથી તે દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગરમાં ઘરે કામ કરવા આવેલ કારીગર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!