Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા – હરિપુરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો ગંભીર રીતે ઘવાયેલા આધેડ નું મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરિપુરા ગામના પાટિયાં પાસે ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઇ રહેલી એક મોટરસાયકલ ને ગઇકાલે બપોરના ૧ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ગામ માંડવી તા.ઝઘડીયા ના જેન્તીભાઇ વસાવા નામના ૫૦ વર્ષની ઉંમરના આધેડ ઇસમને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ઇજાઓ થતાં આ આધેડનું મોત નીપજ્યુ હતું.ઉમલ્લા પોલીસે અકસ્માત કરીને નાશી છુટેલા આ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.ધોરીમાર્ગ પર નિયમો નો ભંગ કરી આડેધડ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જે છે.ત્યારે આવા વાહનો ને નિયમોનું ભાન કરાવવા તંત્ર એ આગળ આવવાની જરુર જણાઇ રહી છે.

Advertisement

Share

Related posts

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ : ભરૂચની બેંકોનો રૂા.૩૫૮૩ કરોડનો ક્રેડિટ પ્‍લાન મંજૂર કરાયો

ProudOfGujarat

નર્મદાના નાંદોદ તાલુકાના મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી આમલેથા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

લીંબડી નેશનલ હાઈવે પર 1.7 કરોડની લૂંટ કેસમાં ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!