Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નડિયાદની કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ

Share

1

નડિયાદની કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ

Advertisement

ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોજીત ભરતી મેળાનું આયોજન નડિયાદની જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ માં ખેડા અને મહીસાગર જીલ્લાની કોલેજોના વિધાર્થીઓ માટે રોજગાર
ભરતી મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું. ધ નડીઆદ એજ્યુકેશન
સોસાયટીનાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ બી. દેસાઈ તથા ખજાનચી પરષોતમભાઇ પટેલ તથા કોલેજ ના આચર્ય ડો.એ.એમ. પટેલ અને પ્લેસમેન્ટ કો-ઓંડીનેટર ડો.એસ.ડી.પટેલ નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, આ શુભ પ્રસંગે જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સનાં સમગ્ર સ્ટાફ પરીવાર તથા વિવિધ કોલેજોનાં આચાર્ય ઓ અને અન્ય હોદેદારો હાજર રહ્યા હતા. ઉપરોક્ત ભરતી મેળામાં ૩૦ કંપનીઓનાં પ્રતિનિધિઓ ૨૩ કોલેજોના નોકરી ઈચ્છુક વિધાથીઓ એ ભાગ લીધો હતો.કુલ ૨૫૦૦ વિધાર્થીઓએ ભરતી મેળા માટે આગોતરૂ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
જે માંથી ૧ હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોલેજ તફથી સ્પોટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત:- લોકભાગીદારીથી નવનિર્મિત ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગૃહરાજયમંત્રીએ કર્યું લોકાર્પણ .

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ગામે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહીત કાનુની જાગૃતિ શિબિર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!