Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રિ પર્વ દરમિયાન પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

Share

 
ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જિલ્‍લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી આસો નવરાત્રિના પર્વ દરમિયાન ખૂબ મોટી સંખ્‍યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. આ દિવસોમાં કાયદો અને વ્‍યવસ્‍થા તથા ટ્રાફીક નિયમન યોગ્‍ય રીતે જળવાઇ રહે તે માટે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા તેમને મળેલ અધિકારની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર
પ્રતિબંધનો જાહેર હુકમ કરવામાં આવ્‍યો છે. હુકમ મુજબ જિલ્‍લાના હાલોલ તાલુકામાં આવેલા ટીમ્‍બી ત્રણ રસ્‍તાથી અને ધનકુવા ચોકડીથી તા. ૧૦/૧૦/૨૦૧૮ થી તા. ૨૪/૧૦/૨૦૧૮ (બંન્ને દિવસો સહિત) સુધી પાવાગઢમાં ભારે વાહનો પ્રવેશી શકશે નહી. આ હુકમનું ઉલ્‍લંધન કરનાર કાયદાકીય જોગવાઇ આઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૩૦૦૦ તાલીમાર્થીઓની ભરતી કરાશે

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા સમરસતા સેમિનાર અને મહિલા દિવસની ભવ્ય ઉજવણી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં તા. ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!