Proud of Gujarat
GujaratHealthINDIALifestyleTravelWorld

રાજકીય નેતાઓ અને કાર્યકરોએ પરસેવે રેબજેબ થવું પડશે જાણો કેમ.આવનાર ઉનાળો કેવો ધગધગતો હશે…

Share

ભરૂચ જિલ્લામાં ધીમે-ધીમે ગરમીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે હાલ હમણાંથી જ લોકો ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે આવનાર ઉનાળો કેવો હશે તેની વિગતો જોતા જ અત્યારથી ચિંતામાં ગરકાવ થઈ જવાય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. હાલ આજે તારીખ 14-2-2019 ના રોજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે ક્રમશઃ વધતું જશે તેથી ફેબ્રુઆરી માસના આવનાર દિવસોમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જાય તો નવાઇ નહીં જો કે મહાશિવરાત્રીના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો રહેશે પરંતુ એ દિવસો બાદ કર્યા સિવાય એટલે કે 3-4 દિવસને બાદ કરતાં સતત તાપમાન વધતું જશે. આ વર્ષે લેવાનાર બોર્ડની પરીક્ષાઓ પણ વિદ્યાર્થીઓએ કાળઝાળ ગરમીના વાતાવરણમાં આપવી પડે તેમ જણાઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ આવનાર લોકસભાની ચૂંટણી પણ આકરી ગરમીના વાતાવરણમાં યોજાય તેવી સંભાવના છે ત્યારે નેતાઓ અને કાર્યકરોએ આકરા તાપમાં આકરી મજૂરી કરી પરસેવો પાડી મતદારોને રીઝવવા પડશે એમ જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના મોરણ ગામે ગાડીમાં ગીતો વગાડીને જતા ઇસમો પર અન્ય છ ઇસમોનો હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા પ્રમુખની કોરોના વેકશીન મામલે અનોખી જાગૃતિ…

ProudOfGujarat

અમદાવાદમાં બે વર્ષ બાદ શણગારેલા હાથી, બેન્ડ વાજા સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!