Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsTravel

ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા .ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુખ સુવિધામાં વધારો કરાશે …..

Share

 

Advertisement

આજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ મુલાકાત લીધી હતી .એનુયલ ઇન્સ્પેકશન દરમિયાનની મુલાકાતમાં રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે ભરૂચ રેલવે સ્ટેશન પરથી જતા-આવતા તમામ મુસાફરોની સુખ-સુવિધાઓમાં વધારો કરાશે .

આ અગાવ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ રેલવે સલાહકાર સમિતિના જીતેન્દ્ર રાજપૂત દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણ તેમજ વિવિધ રેલવે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અંગે રજુઆત કરાય હતી .

રેલવે મંત્રી પિયુષ ગોયલ તેમજ જનરલ મેનેજર એ.કે.ગુપ્તા સમક્ષ રજૂઆતો કરાતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન ,અજરત નિજામમુદીન,ગરીબ રથ,સુરત-મુજફરપુર તથા બાંદ્રા -ગોરખપુરને સ્ટોપેજ આપવા રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દેહરાદૂન-કોચીવેલી,અમરુતસર કોચીવેલી ,નિજામમુદીન-તિવેન્દ્રમ સુપર ફાસ્ટ તેમજ મેરૂતસાગર જેવી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે પણ પચ્છિમ રેલ્વેના ZRUCC સભ્ય જીતેન્દ્ર રાજપૂત દ્વારા અસરકારક રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત પાલેજ ખાતે દાદરા-અજમેર ટ્રેનના સ્ટોપેજ અને કરજણ ખાતે અંડર-પાસ બનાવવા અને રાત્રીના ૧૨ કલાકથી સવારના 6 કલાક સુધી કરજણ ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ મળે તેવી રજુઆત કરાય હતી .જેના સાનુકૂળ પ્રત્યાઘાત પડે તેવી સંભાવના છે .


Share

Related posts

સુરત કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કરતાં ઉમરપાડાનાં ચોખવાડા ગામનાં સેવાભાવી સરપંચ હરિસિંગ વસાવાએ મદદ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના માર્ચ પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સ્કૂટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ProudOfGujarat

આજ રોજ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એસ.ટી ડેપો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!