Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નારાયણનગર-૨માં ૬ થી ૭ ફૂટ ઊંડા ખાડામાં પડેલું શ્વાનને સુરક્ષિત રીતે બચાવાયું

Share

ભરૂચ:
નારાયણનગર-૨ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભાવસારનું પાલતુ શ્વાન અચાનક અંદાજે ૬ થી ૭ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેનો કોલ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન્દ્ર શાહ સુધી પહોંચતા તેમણે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
હિરેન્દ્ર શાહે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ મેળવી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સાવચેતીપૂર્વકના પ્રયાસો બાદ ખાડામાં પડેલા શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ શ્વાનને સંપૂર્ણ રીતે સલામત હાલતમાં તેના માલિક મેહુલભાઈ ભાવસારને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.

Share

Related posts

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.

ProudOfGujarat

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!