Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નારાયણનગર-૨માં ૬ થી ૭ ફૂટ ઊંડા ખાડામાં પડેલું શ્વાનને સુરક્ષિત રીતે બચાવાયું

Share

ભરૂચ:
નારાયણનગર-૨ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભાવસારનું પાલતુ શ્વાન અચાનક અંદાજે ૬ થી ૭ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેનો કોલ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન્દ્ર શાહ સુધી પહોંચતા તેમણે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
હિરેન્દ્ર શાહે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ મેળવી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સાવચેતીપૂર્વકના પ્રયાસો બાદ ખાડામાં પડેલા શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ શ્વાનને સંપૂર્ણ રીતે સલામત હાલતમાં તેના માલિક મેહુલભાઈ ભાવસારને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની વકી, તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યુ

ProudOfGujarat

ઉમરપાડાના વાડી ગામ પાસે ગમખ્વાર અકસ્માત : હાઈવા ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એકનું મોત, ચાર ઈજાગ્રસ્ત મજૂરી કામ પૂર્ણ કરી પરત ફરી રહેલા પરિવાર પર ત્રાટક્યો કાળ, ટ્રક ચાલક વાહન મૂકી ફરાર

ProudOfGujarat

સુરત પાલિકાના નેચર પાર્ક અને એક્વેરિયમમાં એક લાખથી વધુ મુલાકાતી આવતા પાલિકાને 34 લાખની આવક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!