Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રામાપીર નોમ નિમિત્તે નેજા ચઢાવાયા : જૂનીવાડીના રામાપીર મંદિરે ૪૦ વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત્; ૨૨મીએ રામાપીરની પાલખી નીકળશે

Share

 

ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના એમ.જી. રોડ પર જૂનીવાડી વિસ્તારમાં આવેલા રામાપીર મંદિરે રવિવારે રામાપીર નોમ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે નેજા ચઢાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા અને રામાપીરના દર્શન કરી નેજા અર્પણ કર્યા હતા.

મંદિર સાથે સંકળાયેલા મનુભાઈ નાગજી મહારાજે જણાવ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી ભાદરવા સુદ નોમના દિવસે રામાપીરનો નેજો ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દ્વારા નેજા ચઢાવી રામાપીર પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી.

રામાપીર નોમ નિમિત્તે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ રામાપીરના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ ઉપરાંત આગામી ૨૨ સપ્ટેમ્બરના રોજ રામાપીરની પાલખી કાઢવામાં આવશે. પાલખી નિમિત્તે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળશે.


Share

Related posts

અંકલેશ્વરની રીવાઈવ એડવેન્ચર કલબના સભ્યોની અજોડ સિદ્ધિ : શિયાળામાં જામી જતી લદાખની ઝંસ્કાર નદી પર સફળ ટ્રેકિંગ

ProudOfGujarat

મોપેડ પર દારૂની હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળા ખાતે મા નર્મદાના સાંનિધ્યમાં સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!