Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું.

Share

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રીએ જણાવ્યું કે તારીખ 27/01/2022 ના રોજ ગુજરાતભરમાં “તલાટી કમ મંત્રી” ની ભરતી કરવા માટે જાહેરાત કરવા માં આવેલ છે. પરંતુ ગુજરાતમાં છેલ્લી ઘણી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિને નુકશાન પહોચે છે. સાથે પરિક્ષાર્થીઓ પાસેથી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્ય ના ડોહળાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ” ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લે તે બાબતે આવેદન પત્ર આપ્યું હતું.

જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી ડો. કિરણ વસાવા, આમ આદમી સાગબારા તાલુકા આપ પ્રમુખ મહેશભાઈ પાડવી, આપ જિલ્લા ઉપપ્રમુખ, રાજભાઈ, ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા, સાગબારા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપારડી ની શબ્દ વિદ્યાલય શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ નું પ્રદર્શન યોજ્યુ

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે પાંચ વર્ષ જૂના ખોટા એટ્રોસિટી કેસની ડી.વાય.એસ.પી દ્વારા સ્થળ તપાસ કરાવવાની ગ્રામજનોએ કરી માંગ.

ProudOfGujarat

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૬માં પ્રવેશ મેળવવા માટે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા અનુરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!