Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

Share

નર્મદા સાધુ સંતોએ આક્રોશ સાથે પોતાની લાગણી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદન આપતાં જણાવ્યું છે કે નર્મદાજીની આરતી તેમજ પુજા કરવા માટે સરકારે જે નિયમ બનાવેલ છે તે અયોગ્ય છે. અમને હિન્દુ સમાજની ધાર્મીક લાગણીઓને દુભાવતી હોય તેવું લાગે છે. જેથી સરકારને આ બાબતે ચિંતન કરીને આ નિયમ રદ કરવા માટે તાત્કાલિક પગલાં લે તેવી સમસ્ત ધાર્મિક જનતાની લાગણી છે અને લોકોને આનો અસંતોષ વધારે થઈ રહયો છે માટે સરકારને અમારી નમ્ર અરજ છે કે, આ નિયમમાં ફેરફાર કરીને વિશાળ સમાજની ધાર્મિક લાગણીઓને માન આપી યોગ્ય તે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરતાં ભક્તજનોમા તેના ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.

આ પ્રસંગે નર્મદા ગરીમા અભિયાનના કિરણ અકોલકર, સદાનંદ મહારાજ, ધર્માનંદ સ્વામિ, નારણદાસ મહારાજ, વિષ્ણુભાઈ પંચાલ વગેરેએ ઉપસ્થિત રહી આવેદન આપ્યું હતું અને તાત્કાલિક અસરથી નર્મદાઘાટ પર આરતીનો ચાર્જ લેવાનું બંધ કરવા મુખ્યમંત્રીને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું. હવે સરકાર અને વહીવટી તંત્ર નર્મદા આરતીપૂજાનો ચાર્જ 2500/- રૂપિયા લેવાના નિર્ણય અંગે પીછેહટ થાય છે કે નહીં તે હવે જોવું રહ્યું. જોકે આ અગાઉ માંગરોળના સદાનન્દ મહારાજ આ નિર્ણય સરકાર નહીં બદલે તો ધરણા કરવાની ચીમકી પણ આપી ચુક્યા છે. ત્યારે સરકાર કેવો નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા કોમ્યુનિટી હોલ ખાતે વેન્ટિલેટર અને ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર શરુ કરાશે.

ProudOfGujarat

કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ શરૂ કરી :ત્રીજા દેશના ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા નહી

ProudOfGujarat

ભરૂચના સરદાર બ્રિજ ખાતે અકસ્માતમાં ત્રણના મોત એક ગંભીર : પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 4 લોકો બ્રિજની રેલિંગ સાથે ભટકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!