Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

Share

ભરૂચ જીલ્લામાં બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તું અનાજ ન મળતા આજે જયભારત રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સસ્તી અનાજના દુકાનદારો દ્વારા બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ ન આપી સક્ષમ લોકોને આ અનાજ આપતા હોય અને જરૂરિયાતમંદ પરિવારો સસ્તા અનાજથી વંચિત રહી જતાં હોય આ બાબત જયભારત રિક્ષા એસોસિએશનના ધ્યાને આવતા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. બી.પી.એલ કાર્ડ ધારકો સસ્તા અનાજથી વંચિત ન રહે તે માટે મામલતદારને અપીલ કરી હતી. આ પ્રસંગે જયભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ, ઉપપ્રમુખ મિર્જા આબિદ બેગ, મંત્રી અતુલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં પ્રેમપ્રકરણમાં રિક્ષાચાલકની હત્યા : પ્રેમિકા અને તેના હાલના પ્રેમીએ મળીને રચી સાજિશ : ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી

ProudOfGujarat

ભરૂચમાં દહેજના વડદલા ગામમાંથી લાપતા 6 વર્ષના બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

માંગરોલ TDO તરીકે પ્રોબેશન સમય માટે મુકાયેલા શિવાંગી શાહનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!