Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સી ના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજનું સેવન કરતાં હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે જેને અભદ્ર ટીપ્પણી કરતા જૈન સમાજ અપમાન કરતાં લાગણીઓ દુભાઈ હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે આ ટી.એમ.સીના સાંસદ જૈન સમાજની જાહેરમાં માફી માંગે અને સાંસદ તરીકેનું રાજીનામું આપે તેવી માંગ કરી છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જૈન સમાજ આગેવાન હેમંત શાહ, જનક શાહ સહીત ભાજપના આગેવાનો મીડિયાસેલના સભ્યો અને જૈન સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

નેત્રંગ ની સરકારી વિનયક વાણિજ્ય કોલેજ બાહર વિધાર્થીઓનો હોબાળો, પોલીસ અને આગેવાનોએ દરમ્યાનગિરી કરી મામલો થાળે પાડ્યો

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ ઝાયડસ કેડીલાનાં સી.એમ.ડી. ને રેમેડીસીવીરનાં ઇન્જેક્શન આપવા માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!