Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની આશીર્વાદ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીનુ કરાયું રેસક્યુ.

Share

વડોદરાની નિઝામપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગતાની સાથે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાની નિઝામપુરાની આશીર્વાદ હોસ્પિટલમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન થિયેટરમાં એસી માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ હોસ્પિટલમાં એક બાળ દર્દી અને અન્ય દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જે દર્દીઓ અહીં દાખલ હોય તેઓને આગ લાગવાનો બનાવ બનતા તેમના પરિવારજનો તેમજ દર્દીઓ પોતાના બેડ છોડી જીવ બચાવવા માટે તાત્કાલિક અસરથી હોસ્પિટલની બહાર દોડી ગયા હતા. આગ લાગતાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક અસરથી આશીર્વાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

બળાત્કારના કેસમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટીમાં આદિવાસી ખેડૂતોને બંદૂકનું લાયસન્સ આપો, પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!