Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહારાષ્ટ્રમાં બર્ડ ફલૂની દહેશત બાદ ગુજરાતમાં તંત્ર એલર્ટ, ભરૂચમાં ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લેવાયા.

Share

કોરોના મહામારી બાદ વધુ એક બર્ડ ફલૂ નામક બિમારીએ મહારાષ્ટ્રમાં માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે, મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કારણે અનેક પક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તો હવે બર્ડ ફ્લૂની દહેશત ગુજરાત સુધી પહોંચી છે. ગુજરાતમાં પણ હવે બર્ડ ફલૂને લઇ તંત્ર અગાઉથી એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં વિવિધ પોલ્ટ્રી ફાર્મ અને ચિકન શોપ ઉપર જઇ તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથધરી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જે સેમ્પલને પુનાની લેબ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં પણ પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લઇ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાં આમોદ તાલુકામાંથી જ ૩૦૦ થી વધુ સેમ્પલ તંત્ર દ્વારા લેવાયા હતા.તેમજ શહેર અને જિલ્લાના પોલ્ટ્રી ફાર્મ ઉપર સતત સર્વે કામગીરી ચાલુ કરી છે, જોકે બર્ડ ફલૂ મામલે અત્યારે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે, જેમાં અત્યાર સુધી બર્ડ ફલૂના કોઈ લક્ષણ તંત્રની તપાસમાં સામે આવ્યા નથી પરંતુ જે ૪૦૦ થી વધુ સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી છે.

બર્ડ ફ્લૂએ પક્ષીઓમાં ઝડપથી ફેલાતો રોગ છે, આ ફ્લૂના કારણે પક્ષીઓ ક્યાંક મોતને ભેટે છે તો ક્યાંક લક્ષણ જણાતા પક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે,ત્યારે ફ્લૂના કારણે માનવજાતને કોઈ નુકશાન ન પહોંચે તે માટે ભરૂચનું વહીવટી તંત્ર અગાઉથી ગંભીરતાને સમજી જિલ્લામાં પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ઉતરાયણને ધ્યાનમાં રાખી ભરૂચ ફૂડ વિભાગની કડક કાર્યવાહી, ગોળ-ચીકીના 19 નમૂના લેબમાં મોકલાયા

ProudOfGujarat

રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!