Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના માલોદ નજીક સર્જાયેલા અકસ્માતમાં ન્યાયની માંગ સાથે કરજણ તાલુકા કોંગ્રેસે પાઠવ્યું આવેદન.

Share

સોમવારે માલોદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ વ્યક્તિઓને ન્યાય મળે એ હેતુથી કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાલેજ – નારેશ્વર માર્ગને ચાર માર્ગમાં પરિવર્તિત કરવામાં આવેતેમજ નારેશ્વર નર્મદા નદીમાંથી ઓવરલોડેડ રેતી ભરી માતેલા સાંઢની જેમ દોડતા વાહનો પર નિયંત્રણ મુકવા અને અહીં આસપાસના લોકોમાં ફેલાયેલો ભયનો માહોલ દૂર કરવા માંગ કરી છે.

કોંગી અગ્રણી અભિષેક ઉપાધ્યાયે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજ – નારેશ્વર માર્ગ ઓવર લોડેડ વાહનોના કારણે બિસ્માર બનતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા. સાથે સાથે કરજણના મામલતદાર એન. કે. પ્રજાપતિ સાથે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું તેને વખોડી કાઢયું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના નીલાબેન ઉપાધ્યાય તેમજ ભાસ્કર ભટ્ટ તથા અભિષેક ઉપાધ્યાય તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

રાજપીપલા : મિત ગ્રુપ દ્વારા અનોખું ગણેશ વિસર્જન કરાયું.

ProudOfGujarat

સુરત શહેર માં મોજ શોખ ખાતર યુવાનો કરતાં મોબાઈલ ફોન અને પર્સ ની ચોરી ના ૧૩ ગુના ઉકેલાયા પાંચ યુવાન એ કર્યા આ ગુના

ProudOfGujarat

ભરૂચ : બનાવટી લાયસન્સ સાથે 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે નોકરી કરતો સિકયુરિટી ગાર્ડ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!