Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

Share

નડીઆદ અનાથ આશ્રમ રોડ પર ગેરેજ આગળ ગઇકાલે વહેલી સવારે કોઈ નિષ્ઠુર મહિલા પોતાની કુખે જન્મેલ બાળકીને મૂકી ગઈ હતી. આ બનાવ અંગે ગેરેજના માલિકે ૧૦૮ મારફત બાળકીને સારવાર માટે નડીઆદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નડિયાદ શહેરમાં હિન્દુ અનાથ આશ્રમ આવેલ છે આ અનાથ આશ્રમ આગળ સોનલ ઓટો મોબાઇલ નામનુ ગેરેજ આવેલ છે. રવિવારે વહેલી સવારે ગેરેજની અંદર ખુલ્લી જગ્યામાં કોઈ નિષ્ઠુર માતા તાજી જન્મેલી બાળકી નગ્ન હાલતમાં મૂકી ગઈ હતી. આ બાળકીનો રડવાનો અવાજ આવતાં ગેરેજમાં રહેતા શેરખાન એ ગેરેજ માલિકને જાણ કરતાં તેઓ તુરંત જ ગેરેજ પર દોડી આવ્યા હતાં. તેમજ સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતાં. ગેરેજના માલિક કાશીકભાઈ શેખ એ આ બાળકી સતત રડતી હોય તેમજ બેભાન હાલતમાં હોઇ તુરંત જ ૧૦૮ને બોલાવી બાળકીને નડીયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ આ બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.આ બાળકી એક દિવસની હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ નવજાત બાળકી કોની હશે અને કોણ મૂકી ગયું તે અંગે જાત જાતની અટકળો થઇ રહી છે. આ બનાવ અંગે કૌશિક ગુલામહૈદર શેખ રહે. જાસ્મીન પાર્ક,ભોજા તલાવડી નડીઆદ એ જાણ કરતાં નડીઆદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંન્કલેશ્વર જીઆઈડીસી ની સ્ટીમ હાઉસ કંપની નો બોર સીલ કરાયો..

ProudOfGujarat

નાંદોદ વિધાનસભામાં હારનું ઠીકરું મનસુખ વસાવાએ જાહેરમાં પક્ષના જ હોદ્દેદારો પર ફોડયું.

ProudOfGujarat

ભરૂચની કવિન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થીનિઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ ના મામલે NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!