Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

Share

ઉમલ્લાની કે.આર. પટેલ વિદ્યામંદિરના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે પરિક્ષાલક્ષી સ્વાધ્યાય પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે દાતાઓ દલુભાઈ વસાવા અને ઊર્મિલાબેન વસાવા તેમજ ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે.આર. પટેલ વિદ્યામંદિરના પ્રમુખ જે.એમ. દેસાઈ તથા શાળા પરિવારે દાતાઓનો આભાર માન્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. રશ્મિકાન્ત પંડ્યાએ પણ વિદ્યાર્થીઓને મળેલ લાભનો સદઉપયોગ કરી પરિક્ષામાં સુંદર પરિણામ મેળવવા મહેનત કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાએ શાળાના હોલ માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ગોઘરા દ્વારા મહિલા કાનૂની દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

પાસા એક્ટ હેઠળ 1 ની અટકાયત કરતું ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયા ખાતે નિર્માણ થઇ રહેલા રેલવે સ્ટેશનમાં સ્થાનિકોને રોજગારીની તકો આપવા માટે સાંસદની ગુહાર : કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!