Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ડેડીયાપાડા અને સાગબારા કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહના કાર્યક્રમનું આયોજન.

Share

દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા છે.ડેડીયાપાડા અને સાગબારાના નેતા પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે !

આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા આદિવાસી સત્યાગ્રહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સરકાર દ્વારા આદિવાસી ભાઇઓની જમીન વિવિધ પ્રોજેક્ટ હેઠળ નેમ કરવામાં આવી છે જેની સામે પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી તે મુદ્દો છેડવામાં આવશે.

ડેડીયાપાડા સાગબારાથી પૂર્વ ધારાસભ્ય અમરસીંગભાઇ, સાગબારા કોંગ્રેસ પમુખ સુરેશભાઈ, પુવૅ પમુખ મેહુલભાઇ, સેવાદળ પમૂખ જોતીષભાઇ, પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય આનંદભાઇ, વિરોધ પક્ષ નેતા અવિનાશભાઈ, ગણેશ વસાવા, દોલત વસાવા અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા.

Advertisement

તાહિર મેમણ


Share

Related posts

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાંથી શરાબનો જથ્થો ભરેલ રીક્ષા સાથે ૬ બુટલેગરો જેલ ભેગા થયા.

ProudOfGujarat

ભરૂચમાં ચોરીની મોટરસાયકલ લઈ ફરતા ઈસમની ગણતરીના કલાકોમાં રૂરલ પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સરકારી પદની ભરતી માટેની પરીક્ષાઓમાં 1760 પૈકી 1398 ઉપસ્થિત રહ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!