Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ મોસાલીમાં જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ મોસાલીમાં જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આનંદ ઉત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ તેરસનો દિવસ ભારતભરમાં અને વિશ્વમાં જૈનોના અંતિમ ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ દિવસ તરીકે ઉજવાય છે. અહિંસા અને કરુણાનો સંદેશ સમગ્ર વિશ્વને આપનારા મહાવીરે ભક્ત જૈન ધર્મના નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉપકારી છે.

માંગરોળ મોસાલી ખાતે ભગવાનની રથયાત્રા જૈન સાધ્વીજી ભગવાનની નિશ્રામાં મોસાલીથી નીકળી હતી જેમાં સંઘના દરેક સભ્યો જોડાયા હતા. સાધ્વીજી મહારાજ સાહેબનું પ્રવચન બાદ દેરાસરમાં ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનનું પારણું સકળ સંઘ એ ભેગા થઈ ઝુલાવ્યું હતું. જીવમાત્ર પર કરુણા રાખનાર ભગવાન મહાવીરનો સંદેશ ઘર ઘર પહોંચે અને વિશ્વ મહામારી અને ભયથી બહાર આવે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ફિલ્મી ઢબે પીછો કરી મહિસાગર એલસીબીએ  ઈનોવાકારમા લઈ જતો દારુનો જથ્થો પકડી પાડ્યો….

ProudOfGujarat

રાજ્ય સરકારે અંકલેશ્વર પાલિકાને રૂ.3 કરોડની ગ્રાન્ટ માળખાકીય સુવિધાઓ માટે ફાળવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!