Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના માલપુર ગામે રાત્રીના અગ્નિતાંડવ બે મકાનો આગમાં થયા ભસ્મીભૂત.

Share

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે, છેલ્લા એક માસમાં અનેક સ્થાને આગ લાગવાની ઘટનાઓને પગલે ફાયર વિભાગના લાય બંબા સતત દોડતા નજરે પડયા હતા, ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના ગત રાત્રીના સમયે સામી આવી હતી.

જંબુસર તાલુકના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલ કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે મકાનો સહિત ઘરવખરીનો સામાન, અનાજ,રોકડ રકમ, કપડા સહીતનો સામાન આગની જ્વાળાઓના સળગી જઈ ભસ્મીભૂત થઈ ગયો હતો.

Advertisement

માલપુર ગામે અચાનક રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનોના ટોળા સ્થળ પર આવી પહોંચી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સાથે જ મામલા અંગેની જાણ ઓએનજીસી તથા પીઆઇ કંપનીના ફાયર વિભાગને સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જોકે બે કલાક ઉપરાંતનો સમય થવા છતાંય તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા ન હોતા.

જ્યારે ઘટનાની જાણ મામલતદાર જંબુસર તથા કાવી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ખડેપગે હાજર રહ્યાં હતાં અને આખરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેરવાતા સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

હારુન પટેલ


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં નૌગામા ગામની સીમમાં પાંચ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હા. નં. 48 પરથી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા ની નોટો સાથે બે શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ

ProudOfGujarat

ભરૂચ : દહેજ ચોકડી પાસે મૃત હાલતમાં એક વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!