Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેમિકલથી પકાવેલી કેરીના જથ્થાનો નાશ કર્યો.

Share

નડિયાદ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેરીની સિઝનમાં નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કેમિકલથી
પકાવેલી કેરીનું વેચાણ તથા કેરીના રસ બનાવવા માટે સુગર સોલ્યુશન વાપરવામાં આવે છે. તેવી મળેલી માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા શહેરના કોલેજ રોડ, મિશનરોડ, પીપલગ ચોકડી, પીજરોડ સહિત વિવિધ વિસ્તારમાં કેરી વેચતા વેપારીઓ અને હાટડીઓ મળીને કુલ ૧૦ સ્થળોએ દરોડો પાડયો હતો. જેમાં કેમિકલ અને સરકારની ગાઇડલાઇનના નિયમ વિરૂદ્ધ પકાવેલી ૨૦ કિલો કેસર કેરી, કેરીનો રસ તેમજ સુગર સોલ્યુશન મળી કુલ ૫૦ કિલો કિ. રૂ. ૫૫૦૦ નાશ કરાયો હતો. કેરીનાં લીધેલા નમૂનાઓને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક ટેન્કર સાથે રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : તાડ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીઓની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી : અન્ય બે ફરાર.

ProudOfGujarat

બુટલેગરોની દિવાળી બગડી. ગોધરા RR સેલ દ્વારા લાખોનો વિદેશી દારુ જપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!