Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેમિકલથી પકાવેલી કેરીના જથ્થાનો નાશ કર્યો.

Share

નડિયાદ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેરીની સિઝનમાં નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કેમિકલથી
પકાવેલી કેરીનું વેચાણ તથા કેરીના રસ બનાવવા માટે સુગર સોલ્યુશન વાપરવામાં આવે છે. તેવી મળેલી માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા શહેરના કોલેજ રોડ, મિશનરોડ, પીપલગ ચોકડી, પીજરોડ સહિત વિવિધ વિસ્તારમાં કેરી વેચતા વેપારીઓ અને હાટડીઓ મળીને કુલ ૧૦ સ્થળોએ દરોડો પાડયો હતો. જેમાં કેમિકલ અને સરકારની ગાઇડલાઇનના નિયમ વિરૂદ્ધ પકાવેલી ૨૦ કિલો કેસર કેરી, કેરીનો રસ તેમજ સુગર સોલ્યુશન મળી કુલ ૫૦ કિલો કિ. રૂ. ૫૫૦૦ નાશ કરાયો હતો. કેરીનાં લીધેલા નમૂનાઓને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી રાણાદાદા મંદિર ટ્રસ્ટ આવી વિવાન વાઢેરની વ્હારે : 85000 રૂપિયા સારવાર અર્થે આપવામાં આવ્યા.

ProudOfGujarat

અમદાવાદ : ખાનગી હોસ્પિટલ ન કરી શક્યુ પણ સિવિલના તબીબોએ આંખ કાઢયા વગર સારવાર કરી….

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!