Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી રાણપુર રોડ પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત.

Share

સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ ઉપર એક પિકઅપ વાન પલટી મારતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે સુરેન્દ્રનગરના લીંબડી રાણપુર રોડ ઉપર વેજલકા નજીક એક પીકઅપ વન પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે 108 દ્વારા લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતની વધુ વિગતોનો તાગ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

અંકલેશ્વરના ધંતુરીયા પાટિયા પાસેથી ભરૂચ એલ.સી.બી પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

ProudOfGujarat

વહેલી સવારે વાપીમાં વરસાદ : દક્ષિણ ગુજરાતમાં 72 કલાકમાં વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!