Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ડભોઇવાડ વિસ્તારમાં ૯૦ વર્ષ જુનું શિવજીના મંદિરનુ ભૂમિપૂજન કરાયું.

Share

ભરૂચના ડભોઇવાડ વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો આજે જેઠ વદ ૧૦ ને ( નિજલા એકાદશી ) ભીમ અગિયારસના દિવસે મંદિરનું ભૂમિપૂજન કરાયું.

અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરીત હિંદુ ધર્મ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ શહેરમાં આવેલા કોળીવાડ ફાટાતલાવ ડભોઈવાડ વિસ્તારમાં લગભગ ૯૦ વર્ષ જુનુ મંદિરનું આજે સંતો મહંતોના વરદ હસ્તે મંદિરનું ભૂમિપૂજન કરાયું.

ભરૂચ જિલ્લા હિંદુ ધર્મ સેના દ્વારા ભરૂચ શહેરમાં આવેલ કોળીવાડ ફાટાતલાવ ડભોઈવાડ વિસ્તારમાં વર્ષોથી ખંડિત હાલતમાં શિવજી મંદિર હોય છે મંદિરની પૂજા પાઠ થતી ન હતી જે મંદિરના નિર્માણ માટેની જવાબદારી હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા લેવામાં આવી હતી. આ શિવજી મંદિરનું પ્રગટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જે મંદિર પ્રગટેશ્વર મહાદેવ મંદિરના આ ભૂમિ પૂજન સંવત ૨૦૭૮ ના જેઠ સુદ ૧૦(નિર્જલા એકાદશી ) ભીમ અગિયારસ તા ૧૦/૬/૨૦૨૨ સવારે ૮ થી ૧૦ કલાકે પ્રગટેશ્વર મહાદેવ મંદિરના નિર્માણનુ ભૂમિપૂજન કરવામાં આવેલ જેમાં ભરૂચ જિલ્લા હિંદુ ધર્મ સેના હોદ્દેદારો કાર્યકર્તાઓ સંતો મહંતો વડીલો આગેવાનો દ્વારા મંદિરનું ભુમિપુજન કરવામાં આવ્યુ હતું.

આ ભૂમિ પ્રસંગના પ્રસંગે ઇન્દ્રસિંહ રણજીત સિંહ પરમાર તવરા દ્વારા આ મંદિરના નિર્માણ માટે એક લાખ ૧૧ હજાર રૂપિયા દાન પેટે આજે મંદિરને ભેટ કર્યા હતા. આ પ્રસંગે ભરૂચ સનાતન ધર્મના ગાદીપતી સોમદાસ બાપુ, માધવ પ્રિય સ્વામી પાનોલી, ઇન્દ્રસિંહ પરમાર તવરા, ઝીણાભાઈ ભરવાડ ચાવજ, કાઠી બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કોફી શોપની આડમાં ચાલતા કપલબોક્સમાં રેડ, બે ની અટકાયત.

ProudOfGujarat

પંચમહાલમાં કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર પર ડોક્ટર્સ-પેરામેડિકલ સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : દિલ્હી નાંગલ ગામની નાબાલિક બાળા પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવાની માંગ સામે કલેકટર નર્મદાને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!